Monday, January 30, 2023

SGVP

 







                                                              30  જાન્યુઆરી 2023,સોમવાર,અમદાવાદ

SGVP ગુરુકુલમાં જાણીતા પત્રકાર કુંદન વ્યાસ દ્વારા લખાયેલ “ દિલ્હી દરબાર – નરેન્દ્ર થી નેહરૂ સુધી” અને “એક પત્રકારની વ્યવસાયકથા” નામના બે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ પુસ્તકમાં કુંદન વ્યાસે પોતાના પત્રકારત્વ જીવનની કારકિર્દીને વિગતવાર રજૂ કરી છે.આ ગ્રંથ વિમર્શ ગોષ્ઠીમાં મુખ્ય મેહમાન તરીકે શ્રી ભાગ્યેશ જહા,શ્રી કુમારપાળ દેસાઇ,શ્રી નરેશ વેદ ,કુંદન વ્યાસ અને SGVP ના અધ્યક્ષ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિય દાસજી સ્વામી ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમમાં SGVP તરફથી સર્વપ્રથમ ભેટ માતૃશક્તિને એટ્લે કે કુંદન વ્યાસના પત્ની ભારતીબેનને અર્પણ કરવામાં આવી હતી.અને ત્યારબાદ કુંદન વ્યાસ તેમજ અન્ય વકતાઓને પણ ભેટ આપીને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમના અંતે શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ત્યાં ઉપસ્થિત સર્વેને પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું અને આ ગ્રંથ વિમર્શ ગોષ્ઠીના કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

 









No comments:

Post a Comment

Story of Ahmedabad road