Monday, January 30, 2023

ગાંધી નિર્વાણ દિન

 






                                                                                       30 જાન્યુઆરી 2023,સોમવાર

                                                                 અમદાવાદ

ગાંધી નિર્વાણ દિવસ નિમિતે ગૂજરાત વિદ્યાપીઠના બધા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ પદયાત્રા કરીને વિદ્યાપીઠથી પાલડીના કોચરબ આશ્રમમાં પહોચ્યા હતા.આ શહીદ દિવસે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તેમજ કુલપતિ અને ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રત પણ કોચરબ આશ્રમમાં ગાંધીબાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સાથે નીચે બેસીને રેંટિયો  દ્વારા કાંતણ કર્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત સર્વેને બાપુના જીવન દર્શન,સત્યાગ્રહ તેમજ વેદોમાં જણાવેલ માનવ ધર્મ વિશેની વાત કરી હતી.આ કાર્યક્ર્મ માં ઉપસ્થિત બધી વ્યક્તિએ ૨ મિનિટનું મૌન રાખ્યું હતું અને અંતે રાષ્ટ્રગાન ગાઈને આ કાર્યક્ર્મનું સમાપન કરવામાં આવ્યું હતું.

 





No comments:

Post a Comment

Story of Ahmedabad road