ગૂજરાત વિદ્યાપીઠ,અમદાવાદ
આજે ગૂજરાત વિદ્યાપીઠના ઓડિટોરિયમ હોલમાં લોકપ્રિય ગાયિકા મેઘા ડાલ્ટનનો ગાંધીગીતનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રર્મ વિશ્વગ્રામ ગૂજરાત વિદ્યાપીઠના સંજયભાઈ તુલા દ્વારા કરવાંમાં આવ્યો હતો. મેઘા ડાલ્ટને ગાંધીગાન કરી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ,અધ્યાપકો તેમજ અન્ય પ્રેક્ષકોને પોતાના અવાજથી મંત્રમુગ્ધ કરી દિધા હતાં. મેઘા ડાલ્ટન ઝારખંડ રાજ્યના ડાલ્ટન ગંજના વતની છે. મેઘા ડાલ્ટને ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધીગીત ગાયા તેમજ તેમણે તેમના જીવનની પણ વાત કરી કે તેમને ભણવામાં ખાસ રસ ન હતો તેથી તેઓ ધોરણ ૧૨ માં નાપાસ પણ થયા હતા પરંતુ તે આ બાબતથી નિરાશ થયા વગર તેઓ પોતે પોતાના ગીત ગાવાના પેશનને વળગી રહ્યાં અને તેમણે તેમના ગાવાના પેશનને જ પોતાનું પ્રોફેસન બનાવ્યું અને તે પ્રોફેસન દ્વારા પોતાના જીવનની કારકિર્દીમાં સફળતા મેળવી. આમ ગાંધીગીતની સાથે સાથે તેઓએ વિદ્યાર્થીઓ તેમજ અન્ય પ્રેક્ષકોને એક પ્રોત્સાહનરૂપી સંદેશ પણ આપ્યો હતો કે નાની મોટી હાર - જીત ના ઉતાર ચડાવ જિંદગીમાં આવતા - જતાં રહે છે. પણ તે હારથી નિરાશ થયા વગર આપણને જે કામમાં રુચિ હોય તે કામ કરતાં રેહવું આજે નહીં તો કાલે આપણને પોતાની કરેલી મેહનતનું ફળ અવશ્ય મળશે. આ કાર્યક્રમના અંતે ગૂજરાત વિદ્યાપીઠના GS દ્વારા ગૂજરાત વિદ્યાપીઠવતી ગાંધીજીને પ્રિય એવા ચરખાનું મોમેન્ટો મેઘા ડાલ્ટનને આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment