દિવાળીની રજાઓ દરમિયાન દ્વારિકા અને બેટ દ્વારિકામાં સહેલાણીઓની ભારે ભીડ જામી હતી.ત્યારે દ્વારિકામાં ભગવાનના દર્શન કરવા ઇચ્છતા ભક્તો માટે કોઈ આયોજનબદ્ધ વ્યવસ્થા નથી. દ્વારિકા મંદિરમાં જે ભાવિકો ભગવાનના દર્શન કરવા માટે જાય છે તેઓને ૧ કલાક થી ૧.૩૦કલાક થઇ જાય છે. છતાં ભાવિકોની લાઇન એક ડગલું પણ આગળ વધતી નથી, પોલીસ અધિકારીઓ વી.આઇ.પી. લોકોને દર્શન કરવા માટે વ્યવસ્થા કરી આપે છે. પરંતુ સામાન્ય માણસ આ ભીડ વચ્ચે મુંજાઈ જાય છે. પરસેવે રેબજેબ થઈ જાય છે., છતાં મંદિરના કાર્યકર્તાઓ કે પોલીસ અધિકારીઓને આ સામાન્ય માણસના જીવની કોઈ ચિંતા થતી નથી. આ ઉપરાંત બેટ દ્વારિકા જતાં પ્રવાસીઓની સ્તિથિ અહિયાં કરતાં પણ વધુ જીવલેણ છે.
બેટદ્વારિકામાં સહેલાણીઓને દરિયામાંથી બોટની ફેરી દ્વારા મંદિર તરફ લઈ જવાય છે. અને આ બોટનું મેનેજમેંટ માત્ર બે વ્યક્તિઓ જ સંભાળે છે. જેઓ બંને બોટમાં જ હોય છે. અને જેમાંથી એક વ્યક્તિ બોટ ચલાવે છે., અને બીજી વ્યક્તિ પ્રવાસીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે. આ બોટ વધારેમાં વધારે ૬૦ કે ૧૦૦ વ્યક્તિઓનો લોડ સહન કરવાની ક્ષમતા ધરાવે છે. છતાં પણ આ બોટમાં ૨૦૦ થી ૨૫૦ વ્યક્તિઓને ખીચોખીચ ભરીને એક છેડેથી બીજે છેડે લઈ જવામાં આવે છે. બોટચાલક દ્વારા કોઈ પણ જાતના નિયમ વગર મોટી સંખ્યામાં માણસોનો એટલો લોડ બોટમાં ભરવામાં આવે છે કે બોટ દરિયામાં સ્થિર ચાલી પણ શકતી નથી અને બોટ વધારે પડતાં વજનના કારણે વારંવાર દરિયામાં જુકી જાય છે. આ બોટ સર્વિસના માલિકો અથવા બોટચાલકો થોડા વધારે પૈસા કમાવાની લાલચમાં મનફાવે તેટલા મુસાફરોની સંખ્યા બોટમાં ભરે છે. બોટચાલક બોટને ખૂબ ધીમી ગતિએ ચલાવીને લોકોના જીવને જોખમમાં મૂકી તેઓને આ મોત સમી મુસાફરી કરાવે છે. બોટને કંઈ થાય કે આમાં પ્રવાસ કરતાં યાત્રીઓને કંઈક થાય તો તેના માટે કોઈ સેફટી સિક્યોરિટી ગાર્ડ આ બોટમાં ઉપસ્તિથ નથી હોતા. આ ઉપરાંત કોઈ પણ જાતની સેફટી ટ્યૂબ કે સેફટી જેકેટ પણ બોટમાં સવાર થનાર વ્યક્તિઓ માટે ઉપલબ્ધ નથી. અહીંના પોલિસકર્મીઓ પણ આ નાવચાલકોને કઈ કહેતા નથી અને આંખ આડા કાન કરે છે.
જેથી ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના અહિયાં સર્જાય તેની પૂરે પૂરી શ્ક્યતા છે. તેથી સરકાર આ બાબત તરફ થોડુક પોતાનું ધ્યાન દોરે તો લોકોના જીવ જોખમમાં મૂકાતા બચી શકે છે.
No comments:
Post a Comment